Friday, December 28, 2012

ઘણા પ્રાથમિક શિક્ષકો એવું કહે છે કે પ્રાથમિક શાળામાં એલ.ટી.સી નો એવો પરિપત્ર છે કે એક દિવસ પ્રવાસે જાઓ અને દસ દિવસના એલ.ટી.સી ના પૈસા મેળવો.  મિત્રો - મારા મંતવ્ય મુજબ આવું શક્ય જ ના હોય. તમે દસ દિવસના ટૂર ઉપર જવાના હોય તો પ્રથમ દસ દિવસની રજાનો રિપોર્ટ આપવો પડે ત્યારબાદ  દસ દિવસ સુધી તમારી મસ્ટર્ડ ( હાજરીપત્રક ) માં ગેરહાજરી હોવી જોઈએ અને ૬૦૦૦ કિલોમીટર કે તેનાથી ઓછો જે પ્રવાસ કરેલ હોય તેની ટ્રાવેલીંગની ટિકીટ હોવી જોઈએ. આ બધુ હોયતો જ એલ.ટી.સી મંજૂર થાય.  એક દિવસ પ્રવાસે જઈને બીજા દિવસથી શાળામાં હાજરી હોય તો બાકીના નવ દિવસોનું એલ.ટી.સી આકારી શકાય જ નહિ. ઘણી વખતે એવું બને છે કે પરિપત્રો અંગ્રેજીમાં હોય અને અધકચરા અંગ્રેજીના જ્ઞાનના લીધે પરિપત્રનું અર્થઘટણ આચાર્યથી માંડીને ક્લાસ 1 ઓફિસર પણ જુદી રીતે કરતા હોય છે.  એક દિવસ પ્રવાસ કરવાથી ૧૦ દિવસનું એલ.ટી.સી ભથ્થુ મળે તે વાત મારા ગળે તો ઉતરતી નથી. અને આવું ભથ્થુ  લેવું એ પણ મારી દ્રષ્ટીએ યોગ્ય નથી.