Friday, February 24, 2012

આ પ્રશ્નો વિશે વિચારશો.......... 

પ્રશ્ન - 1    આપ આચાર્ય માટે પસંદ થયા છો. બોર્ડ આપને શાળામાં આચાર્ય માટેનો ઓર્ડર આપે છે. જેમાં દિન 7 કે 10 માં હાજર થવાનું છે. આપ ઓર્ડર લઈ શાળામાં આચાર્ય તરીકે હાજર થવાગયા અને સંચાલક હાજર ન કરે તો ?  કદાચ આપ ડીઈઓ ને જાણ કરશો. ડી.ઈ.ઓ કદાચ તે શાળાને ગ્રાંટ કાપ આપે કે 3 વર્ષ સુધી આચાર્ય ભરતી માટે એનોસી ન આપે કે પછી શાળા મંજૂરી રદ કરે પરતું આપ જ્યારે ફરિયાદ લઈ ડી.ઈ.ઓ પાસે જાઓ ત્યારે તો અન્ય શાળા માટે આચાર્યની પસંદગી સીટો ભરાઈ ગઈ હશે. તો ત્યાર પછી તમને કઈ પસંદગી આપશે  ? અન્ય શાળાની સીટો ભરાઈ ગઈ હશે.


પ્રશ્ન - 2    આચાર્ય તરીકે ઓર્ડર લઈ જવાનું થાય ત્યારે માતૃસંસ્થા નોટિસ પે  માગે તો  નોટિસ પે  આપવો કે કેમ

1 comment:

  1. ડીઈઓ ને જાણ કરવા કરતાં જ્યાથી ભરતી થઈ છે એટલેકે રાજ્ય શિક્ષણ સમિતિ માં જાણ કરવી સારી.... તથા પોલિસ complain કરી દેવી... ઉપર થી નીચે જાતે આવે. અને નિછે થી ઉપર આપણે ધક્કા મારી ને લઈ જવું પડે.

    ReplyDelete