Tuesday, December 25, 2012

મિત્રો- ઈન્કમટેક્ષ રીટર્ન તથા ઓનલાઈન ટેક્ષ ભરવાની અગત્યની સાઈટ નીચે આપેલ છે. જાતે રજિસ્ટર થઈ આઈ.ટી.આર 1 ફોર્મ ભરી ટેક્ષ રીટર્ન ફાઈલ કરી શકાય છે. ફોર્મ ૨૬ એએસ દ્વારા અગાઉના પેઈડ ટેક્ષની માહિતી જાણી શકાય છે. હુ છેલ્લા ત્રણ વર્ષથી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરૂ છું. સમય તથા નાણા બંનેની બચત થાય છે. સંસ્થા પાસેથી ફોર્મ ૧૬ મેળવી ઓનલાઈન રીટર્ન ફાઈલ કરવું ખૂબજ સરળ છે.  


Saturday, October 6, 2012

*  ગાંધીનગરની લોચાગીરી - પૂણાગામના પીપલીયા અલ્પેશના ટેટ 1 ના પરિણામમાં ૩૨   ગુણના   ૧૦૦   ગુણ થયા 
*  રાષ્ટ્રપતિને ફરિયાદ કરવાથી ઉંડી તપાસ થઈ. આર.ટી.આઈથી આન્સર કી મંગાવાઈ

વધુ માહિતી માટેની નીચેની લિંક પર ક્લીક કરો.



ટેટ 1 ની પરીક્ષામાં ૩૨ગુણના થયા ૧૦૦ ગુણ 

હમણાં ગુ.મા.શિ.બોર્ડના ધોરણ ૧૦ ના ફોર્મ ઓનલાઈન ભરાય છે. દુખ એ વાતનું છે કે શાળામાં મેન્યુઅલી ફોર્મ ભરતાં 5 થી 7 મિનિટ થાય તે ફોર્મ ચાલુ શાળાએ ઓનલાઈન ભરતાં ૩૦ થી ૩૫ મિનિટ કે કલાક પણ થઈ જાય છે. વિચારો કે એક ફોર્મ ભરતાં આટલો સમય થાય છે તો ધોરણ ૧૦ તથા ૧૨ ના ૪૦૦ ફોર્મ ભરતાં કેવી હાલત થશે ?  અત્યારે દરેક શાળાઓમાં આચાર્ય - ક્લાર્ક અને શિક્ષક ધીમી ગતિએ ફોર્મ ભરાતાં કંટાળાજનક પરિસ્થિતીઅનુભવે છે. સમયનો વ્યય થાય છે. એ વાત ચોક્ક્સ છે કે ઓનલાઈન ફોર્મ ભરવાથી ફાયદા ઘણા બધા છે પરંતુ ફોર્મ સર્વર પણ મજબૂત ઝડપી હોવું જોઈએ. હેલ્પ લાઈન ફોન પર પ્રશ્ન પૂછતાં જવાબ મળે છે કે શાળા સમય દરમ્યાન ફોર્મ ભરતાં તકલીફ પડશે કારણકે આખા ગુજરાતમાંથી એકસાથે ફોર્મ ભરાય છે તેથી સર્વર બીઝી રહે છે.  શું એવો કાર્યક્રમ ન બનાવી શકાય કે ચોક્ક્સ તારીખમાં ત્રણથી ચાર જિલ્લાજ ફોર્મ ભરે ત્યારબાદ બીજી ચોક્ક્સ તારીખમાં બીજા ત્રણથી ચાર જિલ્લા ફોર્મ ભરે. આનાથી સર્વર બીઝી પણ ન રહે અને અફડાતફડી અટકે. વળી ધોરણ ૮/૯ શાળા ટાઈપમાં પ્રાઈવેટ શાળા વિકલ્પ પસંદ કરવા છતાં જિલ્લા શાળા પસંદગી બતાવે છે. તે પણ સુધારવાની જરૂર છે. રીપોર્ટમાં વિષયવાઈઝ રીપોર્ટમાં સંખ્યા ઓછી બતાવતું હતું.  

Thursday, October 4, 2012

વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ

ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તમામ રાજકીય પક્ષો અને સરકારનાં પ્રધાનોએ તેનું પાલન કરવાનું હોય છે. ચૂંટણી પંચ દ્વારા નિમવામાં આવેલા અધિકારીઓ તમામનાં આચરણ પર ચાંપતી નજર રાખે છે. 

આદર્શ આચાર સંહિતા એટલે શું ? 
આદર્શ આચાર સંહિતા એ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા છે. ચૂંટણીઓ જાહેર થાય, ત્યારથી લઈને ચૂંટણી પરિણામો બહાર પડે ત્યાર સુધી રાજકીય પક્ષો અને તેનાં ઉમેદવારોએ માર્ગદર્શિકા પ્રમાણે આચરણ કરવાની રહે છે. 

શા માટે આચારસંહિતાની જરૂર? 
ચૂંટણી દરમિયાન શાસક પક્ષ કે ગઠબંધન સહિત તમામ પક્ષોને ચૂંટણી લડવા માટે સમાન તક મળે તે માટે આચારસંહિતા ઘડવામાં આવી છે. રાજકીય પક્ષો વચ્ચે તણાવ-ઝગડાં કે ઝપાઝપી ટાળવા માટે, મુક્ત અને ન્યાયી રીતે ચૂંટણીઓ યોજય તે માટે તેનું પાલન કરાવવામાં આવે છે. કેન્દ્ર કે રાજ્યની શાસક પાર્ટી તેની સત્તાવાર સ્થિતિનો ચૂંટણી દરમિયાન દુરૂપયોગ ન કરે, તે માટે આચારસંહિતા જરૂરી છે.


વર્ષ 2000માં એક વિવાદ થયેલો. આદર્શ આચારસંહિતા ક્યારથી અમલી બને? તે મુદે વિવાદ થયેલો. ચૂંટણી પંચનો અભિપ્રાય હતો કે, ચૂંટણીની તારીખો જાહેર થાય કે તૂર્ત જ આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ જાય. ચૂંટણી પંચનાં આ નિર્દેશની સામે એનડીએ સરકારે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખખડાવેલાં. સરકારનો તર્ક હતો કે, જે તબક્કાનું ચૂંટણી જાહેરનામું બહાર પડે, ત્યારબાદ જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થવો જોઈએ. આ અંગે ચૂંટણી પંચ દ્વારા સર્વદળીય બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સર્વાનુત્તે નક્કી કરવામાં આવ્યું હતું કે, ચૂંટણી પંચ દ્વારા તારીખો જાહેર કરવામાં આવે, તે સાથે જ આદર્શ આચાર સંહિતા અમલી બની જાય.

રાજકીય પક્ષો અને તેનાં નેતાઓ ઉપરાંત સરકારી કર્મચારીઓ, ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના પ્રધાનો પર આચારસંહિતા લાગૂ પડશે. મોદીએ તેમની વિવેકાનંદ યાત્રાને મોકૂફ કરી દેવી પડશે.ચૂંટણી પંચની મંજૂરી વગર કોઈ અધિકારીની બદલી નહીં થઈ શકે. તેઓ સરકારી વહીવટીતંત્ર કે સરકારી કર્મચારીઓનો ઉપયોગ ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ન કરી શકે. ઉડ્ડાણો માટે હેલિપેડ્સ અને હવાઈ પટ્ટીઓ, જાહેર સભા માટે સાર્વજનિક સ્થળોનો ઉપયોગ તમામ રાજકીય પક્ષોને સમાનપણે કરવા દેવો પડે છે. તમામ રાજકીય પક્ષોને સમાન પ્રકારની શરતો અને જોગવાઈઓનાં આધારે સ્થળ આપવું પડે છે. જે નિયમો વિપક્ષને લાગૂ પડે છે, તે જ નિયમો શાસક પક્ષને પણ લાગૂ પડે છે.

કોઈપણ પ્રધાન કે સત્તામંડળ સેન્ક્શન ગ્રાન્ટ, અને વિવેકાધિન ફંડમાંથી ચૂકવણું નહીં કરી શકે. ચૂંટણી પંચે તારીખો જાહેર કરી ત્યારથી જ આ જોગવાઈઓનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્યપ્રધાન કે અન્ય કોઈ પ્રધાન જાહેર પ્રજાનાં ખર્ચે કોઈ જાહેરાત પ્રકાશિત ન કરાવી શકે. સરકારી પ્રસાર અને પ્રચાર માધ્યમોનાં ઉપયોગ પર પણ નિયંત્રણ આવી જાય છે. પ્રધાનો લોકો માટે કોઈ વચન કે નાણાકીય ફાળવણી ન કરી શકે. તેઓ કોઈ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન ન કરી શકે તથા ખાતમૂહર્ત પણ ન કરી શકે. સરકારી સ્થાયી કે હંગામી નિમણૂંકો ન થઈ શકે તથા આ માટે પ્રક્રિયા પણ હાથ ન ધરી શકાય.

સાભાર - દિવ્યભાસ્કર ( ૦૪/૧૦/૨૦૧૨ ) 

Wednesday, October 3, 2012

Student Exam Registration
ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે.આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ, 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે
દેશનાં ચૂંટણીપંચ દ્વારા બુધવારની સાંજે ગુજરાત અને હિમાચલપ્રદેશની ચૂંટણીઓની તારીખો જાહેર કરી હતી. ગુજરાતમાં તા. નાં 13 અને તા.17 ડિસેમ્બરએમ બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. તા. 20મી ડિસેમ્બરનાં ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાઓ તા. 25મી ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરી દેવાની રહેશે. આ સાથે જ ગુજરાતમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર સંપટની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ યોજાઈ હતી


ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીઓ યોજાશે. પ્રથમ તબક્કા માટે તા. 17-11 અને બીજા તબક્કા માટે તા. 23/11ના જાહેરનામું બહાર પાડવામાં આવશે. ઉમેદવારી નોંધાવવા માટેની અંતિમ તારીખ પ્રથમ તબક્કા માટે તા. 24/11 અને બીજા તબક્કા માટે 30/11 રહેશે. પ્રથમ તબક્કા માટે ફોર્મ્સની ચકાસણી કરવા માટેની તા. 26/11 અને બીજા તબક્કા માટે 1/12 રહેશે. 

પ્રથમ તબક્કાની ચૂંટણીનાં ઉમેદવારો તા. 28/11 સુધીમાં જ્યારે બીજા તબક્કાનાં ઉમેદવારો તા. 3/12 સુધીમાં ઉમેદવારી પાછી ખેંચી શકશે. પ્રથમ તબક્કાનું મતદાન તા. 13/12 અને બીજા તબક્કાનું મતદાન તા. 17/12ના યોજાશે. મતગણતરી તારીખ 20-12ના થશે. 
અત્યારે ઉચ્ચત્તર ભરતીમાં એમ.ફીલના ગુણ ગણાતા નથી. અહિ નીચે ઉચ્ચત્તર ભરતીમાં એમ.ફીલના ગુણ ગણવા માટે અરજીનો નમૂનો શ્રી નિલેશભાઈ જોષી તરફથી તૈયાર કરેલ અરજીનો નમૂનો મૂકેલ છે. લાગતા વળગતાઓએ ધારદાર રજૂઆત માટે નમૂનાની પ્રિંટ કાઢી પોતાના નામજોગ શિક્ષણમંત્રી તથા સચિવશ્રીને રજૂઆત માટે રજિ.એડીથી મોકલવો. જેથી ભરતી પહેલા હકારાત્મક પ્રતિસાદ મળે. વધુ માહિતી માટે શ્રી નિલેશભાઈ જોષીના ઈ-મેઈલ પર nileshjoshi119@gmail.com  પર કોંટેક્ટ કરવો. 




Tuesday, October 2, 2012

આજે મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે  મારા ગામ ગોઝારિયાને તાલુકો જાહેર કરેલ છે. 
SSC પરીક્ષાના આવેદનપત્રો ( ફોર્મ્સ ) ભરવા અહિ ક્લીક કરો.


અત્યાર સુધી ફાજલનું રક્ષણ ૧૯૯૮ સુધી છે. સરકારશ્રી ફાજલનું  રક્ષણ ૨૦૧૨ સુધી લંબાવે તો ચોંકી જતા નહિ. ફાજલ રક્ષણ લંબાવવામાં સરકારશ્રીને કોઈ આર્થિક નુક્શાન નથી. 
રાહ જુઓ. નજીકના સમયમાં ફાજલ રક્ષણ - ઉચ્ચત્તર ભરતી તથા અન્ય માગણીઓ પ્રત્યે હકારાત્મક સમાચાર કદાચ મળી શકે. ચૂંટણી આચારસંહિતા પહેલાં ઘણા બધા સારા સમાચાર મળી શકે. 


New Press Note For Science Students about Entrance Test for Medical & Engineering
New Advertisement For the Recrutment

Sunday, September 30, 2012

તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે. 

પગલું - 1  સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો


પગલું - 2   ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ  તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો. 

પગલું - 3  ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે  એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો  ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે  ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.   

પગલું - 4  હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો  જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો. 

પગલું - 5   ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.  

પગલું - 6   હવે  ફાઈલ મેનુમાં જઈ સેવએઝ  પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી    File as Type માં   JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ. 

પગલું - 7   હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ  ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે.  સહી માટે પણ ઉપરના પગલા અનુસરો. 

Thursday, September 27, 2012

વિદ્યાસહાયક ૨૦૧૨ અરજીપત્રક (તા.૨૮-૯-૨૦૧૨ સવારે ૧૦:૦૦ કલાકથી ભરી શકાશે.)

જાહેરાત

ઠરાવો  
ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ) 
ભાષાઓની વર્ગીકૃત ખાલી જગ્યાઓની યાદી (નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

Wednesday, September 26, 2012

આજના ખુશ ખબર 

ધોરણ ૬ થી ૮ માં વિદ્યાસહાયક પ્રાથમિક શિક્ષકોની કુલ ૮૮૦૦ શિક્ષકોની ભરતી ( ગણિત - વિજ્ઞાન  ૩૦૦૦ શિક્ષકો -  ભાષાઓના ૨૩૦૦ શિક્ષકોની જગ્યાઓ તથા સામાજિક વિજ્ઞાનના કુલ ૩૫૦૦ શિક્ષકો)ની  ભરતી તા. ૨૮/૦૯/૨૦૧૨ સવારે ૯ -૦૦ કલાકથી તા. ૧૦/૧૦/૨૦૧૨ ના રોજ બપોરે ૩-૦૦ કલાક સુધી www.vidyasahayakgujarat.org  www.ptcgujarat.org પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુ માહિતી માટે આ વેબસાઈટ જોતા રહેવું. 

મિત્રો - આ એકજ વેબસાઈટ એવી છે કે જેમાં સારસ્વત મિત્રોને ઉપયોગી માહિતી વિનામૂલ્યે આપવામાં આવે છે.તેથીજ આજ સુધી ૧૧ લાખ લોકોએ આ વેબસાઈટની મુલાકાત લીધી છે. જે કામ  શિક્ષકસંઘોએ કરેલ નથી તે કામ વેબસાઈટના માધ્યમ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળી યોગ્ય સ્તરે રજૂઆત કરેલ છે તથા સારસ્વત મિત્રોને હકારાત્મક માર્ગદર્શન પણ આપેલ છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ માટે પણ આપણે અવારનવાર શિક્ષક મિત્રો દ્વારા તૈયાર થયેલ ઉપયોગી પ્રેઝંટેશન આ સાઈટ ઉપર તથા અમારી બીજી સાઈટ wwww.edusafar.com  ઉપર પણ અપડેટ કરીએ છીએ. આપને ફરી વિનંતી કે શિક્ષણના સમાચાર માટે wwww.edusafar.com તથા  www.jitugozaria.blogspot ની મુલાકાત લેશો અને અન્ય મિત્રોને આ સાઈટની મુલાકાત લેવાનું કહેશો. આપના અભિપ્રાય આવકાર્ય છે.
આભાર 

જિતેન્દ્ર પટેલ ( મદદનીશ શિક્ષક - ગોઝારિયા હાઈસ્કૂલ . ગોઝારિયા.તા.જિ મહેસાણા )

Tuesday, September 25, 2012

મિત્રો - તા. ૨૮/૦૯/૨૦૧૨ ના રોજ ગુ.મા.શિ.બોર્ડ દ્વારા ઓનલાઈન ફોર્મ ભરવા માટે બાયસેગ પર માર્ગદર્શન આપવામાં આવનાર છે. મારી દ્રષ્ટીએ ઓનલાઈન ફોર્મ ભરવા માટે અગાઉથી જો નીચે બતાવેલ નમૂના પર વિદ્યાર્થીઓના ડેટા તૈયાર કરેલ હોયતો ફોર્મ ભરતી વખતે બધીજ માહિતી હાજર હોવાથી સરળતાથી ફોર્મ ભરી શકાય. નીચે એક્સેલની શીટ્સ આપેલ છે.

પહેલી શીટની પ્રિંટ કરી જેટલા વિદ્યાર્થીઓ હોય તેની વિગતો ધોરણ ૧૦ ના વર્ગ શિક્ષકો પાસે જી.આર મુજબ ભરાવી વિદ્યાર્થીઓ પાસે ચેક કરાવી શકાય.

બીજી શીટમાં વિદ્યાર્થીઓના ફોટોગ્રાફ્સ લગાવી સ્કેન કરવાથી એક પેઈઝમાં એકસાથે ૨૦ ફોટોગ્રાફ્સ સ્કેન થઈ શકે ત્યારબાદ કોપી - પેસ્ટ કરવામાં સરળતા રહે છે. 

આજ રીતે ત્રીજી શીટમાં એકજ પેઈઝમાં એકસાથે ૩૫  વિદ્યાર્થીઓની સહી  સરળતાથી સ્કેન કરી શકાય છે જેનાથી વારંવાર સ્કેન કરવામાંથી મુક્તિ મળે છે. 

ચોથી શીટ 1 માં જો ડેટા ભરવામાં આવે અને પહેલી શીટમાં રોલ નંબર બદલવામાં આવે તો માહિતી આપોઆપ ભરાઈ જાય છે. રોલ નંબર બદલતા જાઓ અને પ્રિંટ કરતા જાઓ. 

આશા રાખું છું કે આ માહિતી ઓનલાઈન ફોર્મ ભરવા આપ સૌને ઉપયોગી થઈ પડશે.  

Tuesday, September 18, 2012




Monday, September 17, 2012

ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષક ભરતી 

નિયામકશ્રી-અનુસૂચિત જાતિ કલ્યાણ-ગુજરાત રાજ્ય -ગાંધીનગર દ્વારા ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં ગણિત - રસાયણશાસ્ત્ર - ભોતિકવિજ્ઞાન - અંગ્રેજી અને મનોવિજ્ઞાન વિષયના  શિક્ષક ની કુલ ૪૯ જગ્યાની સીધી ભરતી  આજ રોજ તા. ૧૭/૦૯/૨૦૧૨ ના રોજ બપોરે ૨-૦૦ કલાકે  ખુલનાર છે. તે માટે નીચેની લીંક પર ક્લીક કરી બપોરે ૨-૦૦ કલાક પછી ઓનલાઈન ફોર્મ ભરવું. 

Friday, September 14, 2012

અહી નીચે  તા. ૧૩/૦૯/૨૦૧૨ થી તા. ૨૫/૦૯/૨૦૧૨ સુધી ગાંધીનગર ખાતે નવા બનાયેલા રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ રાખેલ છે. કેમ્પની તારીખ માટે નીચે ક્લીક કરો. 
ઉ.મા.વિભાગના રોસ્ટર રજીસ્ટર પ્રમાણિત કરવાના કેમ્પની તારીખ ( દરેક જિલ્લા માટે ) 
  
અમરેલી જિલ્લા માટે રોસ્ટર રજીસ્ટર કેમ્પ તારીખ - સમય - સ્થળ

 આ સાથે એક્સેલ ફાઈલમાં બનાવેલ રોસ્ટરના પત્રકો સામેલ છે.આવતીકાલે તા.૧૫/૦૯/૨૦૧૨ ના રોજ STTI-GANDHINAGAR ખાતે સવારે ૧૦-૩૦ કલાકે મહેસાણા - પંચમહાલ - વડોદરા જિલ્લાનો ઉચ્ચત્તર માધ્યમિક વિભાગના રોસ્ટર પ્રમાણિત કરવાનો કેમ્પ છે. અન્ય જિલ્લાના કેમ્પ પણ ગોઠવાશે. અન્ય મિત્રોને સરળતા રહે તે માટે એક્સેલના પત્રકો ડાઉનલોડ કરી મૂકેલ છે. આપ ઉપયોગ કરી શકો છો.

રોસ્ટર પત્રક ક
રોસ્ટર પત્રક ખ
પત્રક ગ
પરિશિષ્ટ 3

Sunday, September 2, 2012

તા.28/08/2012 ના રોજ બાયસેગ દ્વારા રોસ્ટરની જાણકારી માટે શિક્ષણવિભાગના અધિકારીશ્રીઓ દ્વારા માહિતી આપવામાં આવી તેની નોંધનીય બાબતો અત્રે આપવામાં આવી છે. માહિતી રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા મદદરૂપ થાય તે હેતુથી અહી આપવામાં આવી છે. નીચેની લિંક પર ક્લીક કરવાથી માહિતી જોઈ શકાશે. 

Wednesday, August 29, 2012


બિન સત્તાવાર માહિતી મુજબ એકાદ અઠવાડિયામાં વર્ગ વધારા ફાળવવામાં આવે તેવી શક્યતા છે ત્યારબાદ તરતજ ફાજલ સેટલમેંટ થશે. બીજી બાજુ રોસ્ટરના કેમ્પ યોજાશે અને રોસ્ટર તૈયાર થયા પછી ઉચ્ચત્તર માધ્યમિકમાં ભરતી થશે. આચાર્ય અને 6 થી 8 માં ભરતી પણ ચૂંટણીની આચારસંહિતા પહેલા પૂરી થાયતો નવાઈ નહિ. ટૂંકમાં મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ ચૂંટણી પહેલા શિક્ષણ જગતમાં ક્રાંતિકારી ફેરફારો આવે તો નવાઈ નહિ.

 મારા વ્યક્તિગત મંતવ્ય મુજબ  શિક્ષકોની નીચેની માગણીઓ ચૂંટણીના કારણે વત્તા ઓછા પ્રમાણમાં ચૂંટણી આચારસંહિતા પહેલા સ્વીકારાય તો ચોંકી ઉઠતા નહિ. 
   
1. ૧૯૯૮ પછી બધાને ફાજલ રક્ષણ  
2.  ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર  
૩.  ટ્રાન્સપોર્ટ એલાઉન્સ  
૪.  છ્ઠ્ઠા પગાર પંચ મુજબ ડીએ  
૫. પરીક્ષક મહેનતામાં સુધારો   
૬. સહાયકને પગાર અંતર્ગત સુપ્રિમના ૦૭/૦૯/૨૦૧૨ નો ચુકાદો  
૭. ભરતીમાં જૂના ( મદદનીશ ) શિક્ષકની જાહેરાતનું મહેકમ તથા સ્થળ
૮. ક્લાર્ક તથા સાથીસહાયકની ભરતી 
૯. ઉચ્ચત્તર શિક્ષક માટે ૯૩૦૦ - ૩૪૮૦૦ ની જગ્યાએ નવા સ્કેલના પરિપત્રનો અમલ

  
પિતૃત્વની રજાનો પરિપત્ર વારંવાર શિક્ષકો માગે છે. આપણા બ્લોગ ઉપર અગત્યના પરિપત્ર મેનુમાં પણ આ પરિપત્રનો સમાવેશ છે. 

પ્રસુતિ તથા પિતૃત્વ રજાનો પરિપત્ર

Monday, August 27, 2012

ચંદ્ર પર પ્રથમ પગ મુકનાર નીલ આર્મસ્ટ્રોંગ આ દુનિયા છોડીને ચાલ્યા ગયા છે. તેમનુ ૮૨ વર્ષની ઉંમરના અંતે ગઈ કાલે શનિવારે નિધન થયુ છે.થોડા દિવસો પહેલા તેમની બાયપાસ સર્જરી થઈહતી

Thursday, August 23, 2012

Special Leave Petition (Civil)    14124 -14125    OF   2012   પગાર અંતર્ગતના ચુકાદામાં સુપ્રિમમાં તા. ૦૭/૦૯/૨૦૧૨ ની મુદત પડી છે. કેસ સ્ટેટસ જોવા નીચેની લિંક પર ક્લીક કરો. 
Special Leave Petition (Civil) 14124 -14125 OF 2012 Case Status

છેલ્લા અઠવાડિયાથી   તુલશીશ્યામ - સાસણગીર - દિવ - સોમનાથ - પોરબંદર - દ્વારકા - જામનગર - ચોટીલા - નવારણુજા ફેમેલી સાથે પ્રવાસ અંતર્ગત જવાનું થયું હોવાથી બ્લોગ છેલ્લા અઠવાડિયાથી અપડેટ થઈ શકેલ નથી. હવે બ્લોગની પોસ્ટ રેગ્યુલર અપડેટ થશે.

આભાર 
જિતેન્દ્ર પટેલ - ગોઝારિયા. તા.જિ. મહેસાણા 

Monday, August 6, 2012

મિત્રો - નીચે બે સારીવેબસાઈટની લિંક મૂકેલ છે. જે આપ સૌને મદદરૂપ બનશે. 

મારૂગુજરાત નામની વેબસાઈટમાં UPSC/GPSC/LATTEST JOB/TET/TAT/OLD PAPERS તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા વિશે લેટેસ્ટ માહિતી મૂકવામાં આવે છે.

http://www.marugujarat.co.cc/ ( રણજીત ઠાકોર )
http://theesky.com/default.php

Sunday, August 5, 2012




ખાસ નોંધ - જો ઉપરોક્ત બે  પ્રેઝન્ટેશનના અક્ષરો આપ વાંચી શક્તા ન હોયતો નીચે ફોન્ટ પર ક્લીક કરી ફોન્ટની કોપી કરી આપના કમ્પ્યૂટરના Control પેનલમાં Font ફોલ્ડરમાં Paste કરવા. ત્યારબાદ પ્રેઝન્ટેશન ફરી ખોલવું.  

Tuesday, July 31, 2012

LTC ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો

LTC  ( Leave Travel Concession ) - અંતર્ગતના બધાજ પરિપત્રો  
જિતેન્દ્ર પટેલ ( ગોઝારિયા )

ઘણા મિત્રો પૂછે છે કે હાલ LTC બ્લોક ચાલે છે કે કેમ ? મિત્રો, હું જાણું છું તે મુજબ  ૨૦૦૮-૧૧ નો LTC બ્લોક નાણા વિભાગના ૧૧-૧૦-૧૯૯૯ ના ઠરાવ ક્રમાંક મસબ/૧૦૯૯૯/૧૨૫૩(ચ)ની જોગવાઈ મુજબ આપમેળે એક વર્ષ લંબાઈ ગયેલ છે. તથા ૨૦૧૨-૧૫ નો નવો બ્લોક પણ આ ઠરાવ મુજબ ચાલુ થઈ ગયેલ કહેવાય. આ પરિપત્ર અહિ સામેલ છે. તે ડાઉનલોડ કરવા લખાણ પર ક્લીક કરો.

LTC પ્રવાસ માટે શીપ ( દરિયાઈ) અને હવાઈ બંને મુસાફરી માન્ય છે. તે અંતર્ગતનો પરિપત્ર જોવા નીચે લખાણ પર ક્લીક કરો


હું જાણું છું ત્યાં સુધી નાણા વિભાગના તા. ૧૫/૦૧/૨૦૧૦ તથા ૦૨/૦૨/૨૦૧૦ ના પે સેલના જી.આર. મુજબ સચિવાલયના કર્મચારીઓને ૧૦ દિવસની રજાઓનું એલ.ટી.સી. માં જવા માટે નવા પગાર ધોરણ મુજબ રોકડમાં પણ રૂપાંતર થાય છે.તથા આ ૧૦ દિવસની રજા ૩૦૦ રજાઓમાંથી કપાત થતી નથી. આ હેતુ માટે ૧૦ દિવસનો પ્રવાસ કરવો જરૂરી નથી. જી.આર જોવા નીચેના લખાણ પર ક્લીક કરો.

Sunday, July 29, 2012




મિત્રો - LTCનો લાભ લઈ પાંચ - સાત દિવસના પ્રવાસનું આયોજન કરતા હોય તો  આંદામાન - નિકોબાર  દ્વિપસમૂહની મુલાકાત લેવા જેવી છે. ચેન્નાઈથી વિમાન કે દરિયાઈ માર્ગે જવાય છે.
આંદામાન - નિકોબાર - પ્રવાસનું રળિયામણું સ્થળ ( સંદેશ દૈનિક નવેમ્બર ૨૦૧૧ ) 

S.S.C પૂરક પરીક્ષા પરિણામ અંગે અખબારી યાદી  

સી.સી.સી પરીક્ષા માળખુ અને ગુજરાતી ઈન્ડીક ભાષા સેટઅપ રીત 

વિદ્યાર્થીઓના આઈકાર્ડ બનાવવાનો સરળ પ્રોગ્રામ ( ડાભી રાજેશ )

  ટેટ - ટાટની સંગતતાઓ અને વિસંગતતાઓ ( નિલેશ જોષી - લાલપુર - જામનગર ) 
   ટેટ - ટાટની સંગતતાઓ અને વિસંગતતાઓ ( પીડીએફ ફાઈલ )  
 પરિવર્તનનો પયંગબર એ જ આચાર્ય નહિ તો લાચાર્ય ( નિલેષ જોષી )