Thursday, August 21, 2014

ફિક્સવેતન - ચિંતન - ચિંતા

આજે જ્યારે મોંઘવારી ચરમસીમા એ છે ત્યારે ફિક્સ વેતનમાં વધારો કરવો એ સરકારની નૈતિક ફરજ છે. એક શાળામાં એક શિક્ષક  ૪૦૦૦૦ થી ૫૦૦૦૦ પગાર મેળવે છે જ્યારે તે જ શાળામાં અન્ય શિક્ષક  ૫૩૦૦ જેટલો ફિક્સ પગાર મેળવે છે. બંને એકજ બઝારમાંથી ખરીદી કરે છે. ગુજરાતમાં એવું કોઈ બજાર બન્યુ નથી કે જેમાં ૫૩૦૦ રૂ. પગારવાળા ફિક્સ પગારદાર વાળા કર્મચારીની ખરીદી સસ્તી હોય. દૂધ - ઘી - તેલ કે અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ બધા માટે સરખા ભાવે મળે છે. 

ફિક્સ પગારવાળા કર્મચારીઓની પત્ની - પતિ કે બાળકો માટે  ફિક્સ આહાર આપીએ તો શું તે તંદુરસ્ત રહી શક્શે ? આજે દવાખાનામાં દાક્તરની કેસ ફી પણ  ૨૫૦ રૂપિયાથી ઓછી નથી ત્યારે  ૧૦૦ થી ૩૦૦ રૂ.  મેડિકલ એ  મૂછમાં હાસ્ય ફેલાવે છે. 


1 comment:

  1. Aa case ni su update chhe? Koi navi tarikho pade chhe ke su?

    ReplyDelete