Saturday, August 16, 2014

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની અરજી ક‍‍યા સંજોગોમાં રદ થવાને પાત્ર છે

સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોની અરજી ક‍‍યા સંજોગોમાં રદ થવાને પાત્ર છે (ઉમેદવારે અરજી ફોર્મ આપતાં પહેલાં આ બાબતો ધ્‍યાનમાં લેવી જોઈએ.)

અરજી મંડળે નિયત કરેલ અરજી પત્રકમાં ન હોય.


અરજીમાં વિગતો અધૂરી કે અવાચ્‍ય હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં ઉમેદવારની સહી ન હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં કેપીટલ લેટરમાં સહી કરેલ હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં ફેકસથી કે ઇ-મેઇલથી મોકલાવેલ હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવેલ ન હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફની ઝેરોક્ષ લગાવેલ હોય.

અરજી અને/અથવા પરિશિષ્‍ટ બે માંથી એક જ મોકલાવેલ હોય.

અરજી સાથે પૂરેપૂરી ફી ભરેલ ન હોય.

અરજી ફી ભરેલ હોય, પરંતુ ભારતીય પોસ્‍ટલ ઓર્ડર જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાનો ખરીદેલ હોય.

ઉમેદવારે શૈક્ષણિક લાયકાતના સંદર્ભમાં માર્કશીટ/પદવી પ્રમાણપત્રની નકલ રજૂ કરેલ ન હોય.

સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગના ઉમેદવારે તાજેતરના પુરા થયેલા નાણાકીય વર્ષનું અર્થાત તા. ૦૧-૦૪-૨૦...... બાદનું નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર રજૂ કરેલ ન હોય.

અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ તથા શારીરિક વિકલાંગતા ધરાવતા ઉમેદવારે અરજી પત્રક સાથે સક્ષમ અધિકારી દ્વારા અપાયેલ પ્રમાણપત્રની નકલ રજૂ કરેલ ન હોય.

ઉમેદવારે અરજી પત્રકમાં અનુભવ દર્શાવેલ હોય (જેના આધારે પાત્રતા નક્કી કરવાની થતી હોય) અને તેના સમર્થનમાં પ્રમાણપત્રો રજૂ કરેલ ન હોય અથવા તો રજૂ કરેલ પ્રમાણપત્રો તેઓનો અનુભવનો સમયગાળો, મૂળ પગાર, કુલ પગાર અને અનુભવનો પ્રકાર દર્શાવેલ ન હોય તથા સંસ્‍થાના લેટરપેડ ઉપર પ્રમાણપત્ર ન હોય.



No comments:

Post a Comment